વનરક્ષક (બીટગાર્ડ) ની ૮૨૩ જગ્યાઓ ઉપર થશે ભરતી

વનરક્ષક (બીટગાર્ડ) ની ૮૨૩ જગ્યાઓ ઉપર થશે ભરતી : ગુજરાતના વન અને પર્યાવરણની સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. આ અંગે વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ) ની વર્ગ-૩ની કુલ–823 જગ્યાઓ સીધી ભરતીથી કરાશે.

આ પણ વાંચો : ગુજરાત ટેટ જાહેરાત ૨૦૨૨

આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા તા. 1/11/2022 થી તા. 15/11/2022 સુધીની રહેશે. તદુપરાંત આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં ફી ભરવા માટે e-pay સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

મંત્રીએ ઉમેર્યું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે. તેમણે ઉમેર્યું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલી બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ ૩૩૪ જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.